ટીનટીન !

– ઘણાં દિવસથી જે ફોટો મુકવાની વાત હતી તે છેવટે આજે ઠેકાણે પડી છે. સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝન વધુ હતું એટલે રેન્ડમલી પાચ-સાત ફોટો પસંદ કરી લીધા છે.

Vraj photo in car
પપ્પા બહાર જાય છે તો હું ઘરમાં કેમ ? બસ, પછી ગોઠવાઇ ગયા સાહેબ બાજુની સીટ પર..
Vraj photo
સજીધજીને હવે તૈયાર છે, ભાઇ!! દિવસમાં લગભગ ત્રણેક વખત મમ્મી તેને આમ તૈયાર કરી દે..
VRAJ

જોઇને લાગશે કે કેટલો ભોળો-મીઠડો છે; પણ આ મીઠડાની પાછળ એક તોફાની બારકસ છુપાયેલો છે!..

વ્રજની કેટલીક અલગ-અલગ મુદ્રાઓ!
કેટલીક અલગ-અલગ મુદ્રાઓ!

નોંધઃ ટાઇટલમાં જે ટીનટીન છે તે હમણાં તેનું લાડનું નામ છે.

આ વર્ષે પણ…

. . .

– નવું કંઇ નથી ભાઇ… મારી એ જ જુની ને જાણીતી સમસ્યા ફરી મારા પર તેની કૃપા વરસાવી રહી છે. તે કૃપાળુ સમસ્યાનું નામ છે. – માનનીય શ્રી બીમારી દેવી ! (આ બીમારીને આટલા માન-સમ્માનથી બોલાવવાનું કારણ એટલું જ છે કે કદાચ એ બહાને તે આ દુબળા-પાતળા જીવ પર થોડી દયા દાખવે.)

– હવે તો મને ચોક્કસ લાગે છે કે મારા શરીરે વર્ષમાં એકવાર તો હોસ્પિટલની પથારીનો લાભ આપાવવાનું નક્કી જ કરી લીધું છે. (મને તો શક જાય છે કે આ ડોક્ટરોએ જ મારા શરીરને દર વર્ષે કંઇક થઇ જાય એવું તો કંઇ ગોઠવ્યું નહી હોય ને? 😉 )

– લગભગ ૭-૮ દિવસ ડોક્ટરોના દવાખાના ઘસવામાં અને પછીના ૬ દિવસ હોસ્પીટલની પથારીમાં તો લેબોરેટરીના ચક્કરો કાપવામાં ગુજાર્યા બાદ ગઇ કાલે ડોક્ટરે રહેમ કરીને મને ઘરે આરામમાં રહેવાની પરવાનગી આપી છે. (આમ તો દરેક બીમારીનો મને અનુભવ હતો પણ આ વખતે એક નવી બીમારીનો અનુભવ પણ કર્યો.)

– ડૉક્ટરે ‘રજા’ આપતી વખતે ઘણી કીમતી સલાહ, આદેશ અને ઢગલો દવાઓ પણ આપી છે. (દવાઓ તો હાથીને પણ ગળવામાં અઘરી લાગે એવી મોટી છે બોલો!! – ઓકે મજાક છે. પણ સાચ્ચે ઘણી મોટી-મોટી છે.)

– આ વખતે બીમારી સાથેનો મુકાબલો થોડો લાંબો ચાલે એમ છે. ડૉક્ટર અને ઘરના લોકો બીમારીની આ વાર્ષિક સિસ્ટમને જડમુળથી હટાવવા કટીબધ્ધ થયા છે. મે પણ પુરા સહકારની ખાતરી આપી છે. (બીજો ઉપાય પણ નથી અને જો કાયમી છુટકારો મળતો હોય તો મારી માટે પણ સારું જ છે.)

– હજુ તો ચાર દિવસ પછી ફરી એક્સ-રે અને બ્લ્ડ રિપોર્ટ જોઇને મારું ભવિષ્ય નક્કી થશે. ડૉક્ટરના મત મુજબ જો બધુ નોર્મલ રહ્યું તો ૧૫ દિવસ નહી તો છ મહિના સુધી તેમની દવાઓ-સલાહોને કડક રીતે સ્વીકારવી પડશે. (હશે, જે થશે એ જોયું જશે… ટેન્શન નહી લેને કા યાર..)

– આજે જાણ્યું કે જુલાઇ સુધીમાં ‘ગુગલ રીડર’ બંધ થઇ જશે. ખબર નહી કેમ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પણ ‘ગુગલ રીડર’ કયારેક બંધ થઇ જશે તેવું મે કયારેય વિચાર્યું નહોતું.

– ટેલીફોન-મોબાઇલના બિલ ભરવા માટે આજે ક-મને લેપટોપ ચાલું કરવું પડયું એટલે થયું કે કંઇક અપડેટ પણ કરી દઇએ. ઘણાં દિવસો પહેલા અહી ટેણીયાના ફોટો મુકવાનો પ્લાન કર્યો હતો. જો કે હજુયે તે ‘પ્લાન’માં છે જ પણ કયા-કયા ફોટો મુકવા તે સિલેક્ટ કરવું પડે એમ છે. (હમણાં તો આરામ કરવો પડશે, કદાચ કાલનો દિવસ તે માટે ઠીક લાગે છે.)

– બીજી તો કોઇ નવાજુની નથી. દિવસ-રાત ખાવા-પીવામાં ને આરામમાં ગુજરે છે. ઔર, લાઇફ યું હી કટ રહી હૈ…

. . .

આંચકો – હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટનો !

. . .

– ગયા અઠવાડીયે ઘરે એક આંચકો આવ્યો!! (ભુકંપ નહોતો પણ ઘટના ભુકંપ જેવી બની ગઇ.) પપ્પા એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે જે દિવસે હૈદરાબાદ જવા નીકળ્યા’તા તેના બીજા દિવસે જ ત્યાંથી બૉમ્બબ્લાસ્ટના ન્યુઝ આવ્યા. જો કે મોબાઇલ-કૉલથી કન્ફર્મ થયું કે તેઓ સલામત છે. હાશ..

– અમે તો આખો દિવસ ન્યુઝચેનલોને ફેરવી-ફેરવીને ત્યાંના રિપોર્ટ લીધા. બીજા દિવસે ફરી ફોન કરીને વધુ જાણકારી લીધી અને જે જાણકારી મળી તે બૉમ્બ બ્લાસ્ટ જેટલી તો નહોતી પણ આંચકારૂપ જરૂર હતી! (જો કે કયારેક માહિતી બૉમ્બ કરતાં પણ વધારે વિસ્ફોટક હોય છે!)

– ન્યુઝ એજન્સી અને સરકારના મતે ત્યાં બે (Two) બ્લાસ્ટ થયા છે પણ પપ્પાના જણાવ્યા અનુસાર કુલ છ (Six) બ્લાસ્ટ થયા છે. અને કુલ મૃતકોનો સરકારી આંકડો ૧૪-૧૭ની આસપાસ છે જયારે પપ્પાના મતે તેનો સાચો આંકડો ૨૦૦ની આસપાસ હોઇ શકે છે. (જો તમારા કોઇ સગા કે ઓળખીતા ત્યાં હોય તો તમે પણ આ જાણકારીને કન્ફર્મ કરી શકો છો.)

– આપણી સરકાર, વિશ્વાસુ ન્યુઝ એજન્સીઓ અને પેલા ‘કહેવાતા’ બાહો પત્રકારો આપણને ખોટા ન્યુઝથી ચોખ્ખા બેવકુફ બનાવી રહ્યા છે. કઇ રીતે? – જુઓ આ પોસ્ટ : “પેઇડ (હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટની આ દરેક માહિતી બહાર ન જાય તેની ઝીણવટથી તકેદારી રાખવામાં આવી રહી છે.)

– સાંભળ્યું છે કે બૉમ્બબ્લાસ્ટ બાદ તેના કારણો/અપરાધીઓને પકડવાની જગ્યાએ આપણી ‘મર્દ’ સરકાર આ બ્લાસ્ટ અંગેની દરેક બ્લૉગપોસ્ટ, સોસિયલ અપડેટ્સ અને ન્યુઝ પર કડક નજર રાખી રહી છે. (કદાચ કાલે હું ગાયબ થઇ જઉ તો સમજી જજો કે તેમાં કોનો હાથ હોઇ શકે.)

– ખાસમિત્રોના મતે આ માહિતી આ સમયે જાહેરમાં મુકવી ખત્તરનાક છે અને હું સરકારની કે સરકારી તપાસ એજન્સીઓની નજરે ચડી શકું છું. છતાંયે સચ્ચાઇને ખાતર લખવું જોઇએ એવું મને લાગે છે. (આગળ જે થશે એ જોયું જશે…)

– આ ઉપરાંત હૈદરાબાદમાં બીજું ઘણુંબધુ રંધાઇ રહ્યું છે જેની લગભગ ત્યાંના દરેક નાગરિકોને પણ ખબર હશે. ધર્મ અને સિયાસતનું રાજકારણ ત્યાં ચરમસીમાએ છે જેમાં માણસોનો ઉપયોગ પ્યાદા તરીકે બિન્દાસ્ત થઇ રહ્યો છે. જો બે-ચાર દિવસની મુલાકાતથી આટલું બધું જાણી શકાતું હોય તો પછી સરકારી તપાસ એજન્સીઓને કે સરકારને અત્યાર સુધી તેની ખબર નહી હોય એવું માની ન શકાય. (કદાચ સરકારની આ નિષ્ક્રિયતા પાછળ પણ કોઇ ‘ગંદુ રાજકારણ’ હોઇ શકે છે. ઉફ્ફ.. આવા રાજકારણીઓ તો એકદિવસ ચોક્કસ આખા દેશને વેચીને જ રહેશે….)

. . .