બગીચાની પ્રથમ વાર્ષિક વિકાસ ગાથા

. . .

– વર્ડપ્રેસ દ્વારા મારા બ્લોગનુ સરવૈયુ સુંદર રીતે તૈયાર કરીને ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યુ છે. જો કે તેમણે મોકલ્યુ તો ત્રણ દિવસ પહેલા છે પણ મે આજે જોયુ. (ભુતકાળ વાગોળવો આમ પણ મને બહુ ગમે અને સરવૈયામાં તો એ જ છે !!)

ગયા વર્ષ દરમ્યાન વિતેલા જીવનનું વાર્ષિક સરવૈયુ તો આગળની પોસ્ટમાં મુક્યુ પણ જાણ્યુ કે ઘણાં બ્લોગરો તેમના બ્લોગમાં બ્લોગીંગ વિશેનો વાર્ષિક અહેવાલ મુકે છે તો હું કેમ પાછળ રહું ? (બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા..)

# લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ બિગનીંગ :

– મારા બગીચાની શરૂઆત માર્ચના મસ્ત માહોલમાં… પ્રથમ પોસ્ટ – કર્યા કંકુના…

– બ્લોગમાં મારી દિનચર્યા લખવાની શરૂઆત જુનમાં થઇ. (જે ઘણાં ઉતાર-ચઢાવ અને બદલાવ પછી હજી પણ ચાલી રહી છે !!)

– ઓગષ્ટમાં શરૂઆતની મુળ થીમમાં બદલાવ. (જુની થીમની કોઇ યાદગીરી અત્યારે ઉપલબ્ધ નથી.)

– શરુઆતમાં દરેકને મુક્ત મને પોતાનો પ્રતિભાવ આપવાનો હક આપવામાં આવ્યો પણ બે-ચાર અળવિતરા મુલાકાતીઓ ના કારણે નવેમ્બરમાં દરેક અજાણ્યા મુલાકાતીઓના પ્રતિભાવ પર ચોકીપહેરો ગોઠવવાનો નિર્ણય લેવાયો.

– માર્ચમાં શરૂ થયેલ મારી બ્લોગયાત્રા એ ડિસેમ્બરમાં ૧૦,૦૦૦ નો આંકડો પાર કર્યો. (જો કે કોઇ એક સમયે બ્લોગના વાચકોની સંખ્યા તરફ ઘણું ધ્યાન રહેતુ જેનુ હવે એટલુ આકર્ષણ નથી રહ્યુ.)

# કેટલીક આંકડાકીય માહિતી :

  • સૌથી વધુ વંચાયેલ પોસ્ટ – ઉફ્ફ… યે શાદીયાં… (આજના લગ્નો)
  • સૌથી વધુ મુલાકાતીઓ – ડિસેમ્બર (2,927)
  • સૌથી ઓછા મુલાકાતીઓ – માર્ચ (182)
  • બગીચામાં ઉગાડવામાં આવેલા કુલ વૃક્ષો અને છોડવાઓ – 65
  • વર્ષ દરમ્યાન કુલ મુલાકાતીઓ – 10,211
  • 2011 માં કુલ કોમેન્ટ્સ – 396
  • બ્લોગથી સંપર્કમાં આવેલ મિત્રો – અગણિત (દરેક વાતને આંકડામાં માપી ન શકાય.)
  • અને વર્ષ દરમ્યાન ઘણાં અજાણ્યા લોકોનો અવિરત મળેલો અને મળતો રહેતો અપાર પ્રેમ

– આમ તો બ્લોગની શરૂઆત માર્ચમાં થઇ હોવાથી આ અહેવાલ 10 મહિનાનો જ કહેવાય પણ છતાંયે ડિસેમ્બરને વર્ષનો અંત ગણીને વાર્ષિક અહેવાલ રજુ કરવામાં સરળતા વધુ રહેશે એમ લાગે છે.

– આપ સૌનો અને વર્ડપ્રેસનો દિલથી આભાર.

. . .

વસુધૈવ કુટુમ્બકમ. (via “કુરુક્ષેત્ર”)

વસુધૈવ કુટુમ્બકમ.વસુધૈવ કુટુમ્બકમ. “આખી પૃથ્વી મારું કુટુંબ છે” કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે. એક જ Y  અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે. કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા. આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો, કહેવાતા ધર્મો નહિ. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું. આખી દુનિયાના તમામ માનવ સમૂહ … Read More

via “કુરુક્ષેત્ર

ઉપરની વાત પર મારો પ્રતિભાવ..

શ્રી ભુપેન્દ્રભાઇ,

અહી ઘણાં અભ્યાસ બાદ એકઠી કરેલી વાસ્તવિક વાતો છે. પણ કેટલાને ગળે ઉતરશે?? “મેરા ધર્મ મહાન” કહેનારાને કેવી રીતે સમજાવવું કે આપણાં બધાનુ મુળ એક જ છે તો પછી આ ધર્મોના ભેદભાવ કોની માટે છે !!?

ભારતીયો પોતાને સૌથી જુની સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે પણ અભ્યાસ કંઇક અલગ વાસ્તવિકતા તરફ લઇ જાય છે. શાસ્ત્રો માત્ર ધર્મગુરુઓ-સાધુઓ-બાવાઓ-ઢોંગીઓના પેટ ભરવાના સાધન બની ગયા છે ત્યાં “વસુધૈવ કુટુંબકમ” નો અર્થ લોકોને કોણ સમજાવશે?

હિંદુઓમાં દંભની પરાકાષ્ઠા અન્ય લોકો કરતાં ઘણી હોય છે અને આ બધુ પ્રજાને શીખવવાવાળા ગુરુ-મહારાજો કે ગાદીપતિઓ જ છે જેઓ પોતે દંભની વ્યાખ્યા સમાન છે. આ એ જ મહાનુભાવો છે જેઓ લોકોને “વસુધૈવ કુટુંબકમ” ની વ્યાખ્યા શીખવે છે ને હંમેશા પોતાનો વાડો મોટો કરવામાં લાગેલા હોય છે. હરામ જો કોઇ શ્રધ્ધાળુ પુછે કે ‘હે મહારાજ, આખુ વિશ્વ આપણું કુટુંબ છે તો તમે મને કેમ બાંધી રાખ્યો છે?’

મારા મતે બધા સંપ્રદાયો, ધર્મો તથા ગુરુઓ-બાવાઓ-મુલ્લાઓ-પાદરીઓ આજે એક વાત સારી રીતે જાણે છે કે લોકોને મુર્ખ બનાવી રાખશો તો તેમનુ ઘર-મહેલ-હુકુમત સલામત છે.
જય હો….

બગીચાનંદ

નહિ ઉતરે,જરા પણ નહિ ઉતરે,દંભની પરાકાષ્ટા જો ભારતમાં છે.

મુળ લેખક શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ