લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી

~ લેખક અને વાચક વચ્ચેના સંબંધ વિશે સંસારીક વ્યાખ્યાનના જ્ઞાની વકતા શ્રી બગીચાનંદ બાબા દ્વારા કહેવાયેલી જ્ઞાનવાણી ઇ-સંસારની જનતાએ ખાસ જાણવા અને સમજવા જેવી છે..

લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી. Lekhak ane vachak vise baba bagichanand ni gyanvani

વક્તાનો પરિચયઃ

– વક્તા શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઇ-સંસારના અનુભવી છે; જેમણે લાખો ભાવકોના ઇ-જન્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને તેમને સિધ્ધિ અપાવી છે!

~ જો આપ બાબાજીની જ્ઞાનવાણીનો નિયમિત લાભ ઇચ્છતા હોવ તો બાબાજીના ઇ-આશ્રમ મારોબગીચો.કોમ પર ચાલી રહેલા પ્રવચનોમાં ગમે ત્યારે ભાગ લઇને આપની ઇ-આત્માનું કલ્યાણ કરી શકો છો!!


વધુ માહિતી કે સંપર્ક માટે લખો;

પ્રતિ..
શ્રી આશ્રમ વ્યવસ્થાપક,
મારોબગીચો.કોમ
આંતરઝાળની અંદર, ગુજરાતી વિભાગ,
હંમેશા ઓનલાઇન રસ્તો, ભારતવર્ષ
ઇ-સંપર્કકડી: mail@marobagicho.com


શ્રી ભાવકો જોગ:
બાબા બગીચાનંદની અંગત સલાહ મેળવવા કે દિવ્ય ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક bagichanand@marobagicho.com પર જ ટપાલ લખવી. 🙏

ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય

હરિઓમ… તત્ સત્…..

🙂

June’13 : અપડેટ્સ-2

. . .

– મારો ટીનટીન તેના મામાના ઘરે જવાનું બહાનું કાઢીને તેની મમ્મીના પીયરે ગયો છે, પણ ગઇકાલે આધારભુત સુત્રો દ્વારા મને સમાચાર મળ્યા કે એ બન્ને તો મારા સસરાના ઘરે પહોંચ્યા છે!! (જોયું…. બંને મને છેતરીને કયાંથી કયાં પહોંચી જાય છે.)

– એક બાબતમાં મેડમજી સામે હું જીતી ગયો. તેને એમ હતું કે અમારો વ્હાલો પહેલા ‘મમ્મી’ કે ‘મમા’ બોલવાનું શીખશે પણ માય ડીયર સન સ્પષ્ટ રીતે ‘પપ્પા’ બોલતા શીખી ગયો છે. (કયારેક ‘પાપા’ પણ બોલે છે) અને હજુ તો આ ભાઇસાબ ‘મમ્મી’ નો ‘મ’ બોલતા પણ નથી શીખ્યા! તેના દાદા-દાદી પણ આ રેસમાં હારી ગયા!

– વજન અપડેટ : 52 કિલો. આ રફ્તાર થોડી ધીમી પડી છે પણ ડૉક્ટરનું કહેવું છે કે ‘શરીરનો વિકાસ અમુક તબક્કા પછી ધીરે-ધીરે થાય છે. એટલે બેટા, ધીરજ રાખજે….’

Continue reading “June’13 : અપડેટ્સ-2”