July’12 : અપડેટ્સ – 2

. . .

– લગભગ ૧૫ વર્ષ જુના એક બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાવવાની વિધી શરૂ કરી છે. કાયદો અને તેની જોગવાઇઓ થોડી અટપટી છે એટલે રાહ જોઇએ કે વાત કેટલે સુધી પહોંચે છે. (સરકારી નિયમો મુજબ હાલનું બાંધકામ અયોગ્ય નથી તો પણ તે સરકારી ચોપડે કાયદેસર તરીકે નોંધાઇ જાય તેમાં મને વધુ રસ છે.)

– વરસાદ નથી તો પણ વરસાદી સિઝનની અસર કામકાજ પર જણાઇ રહી છે. (પણ, રાજકીય વાતાવરણ સોલિડ ગરમ છે.)

– કન્ફ્યુઝ્ડ વાતાવરણ અને નારાજ વરસાદ વચ્ચેનો આ સમયગાળો અઘરો લાગે છે. બફારો, ઉકળાટ, વરસાદ, ઠંડક અને વળી ગરમી. (આ વાતાવરણ છે કે છોકરીઓની ફેશન? – વારંવાર બદલાયા કરે છે !!)

– વરસાદની સાથે-સાથે અમદાવાદીઓ ‘રસ્તાના ભુવા’ને પણ મિસ્સ કરે છે. 😉 (પ્લીઝ વરસાદ.. હવે તો આવી જા.. છાપાવાળાઓએ પણ તંત્રની બેદરકારી અને તેનાથી લોકોને પડતી મુશ્કેલીઓની ખબર ઍડવાન્સમાં તૈયાર કરી રાખી છે!)

– આજે ફેસબુકમાં એક મિત્ર દ્વારા એક આશ્ચર્યજનક વાત જાણવા મળી.. (કોઇને ખબર હોઇ શકે છે પણ મારી માટે તો નવી વાત જ છે.)

  • હોટેલમાં પીરસવામાં આવતી નાન, કુલચા કે રૂમાલી રોટીની બનાવટમાં ઇંડાનો ઉપયોગ કરવામાં આવે છે. મેળવેલ જાણકારી પ્રમાણે ઇંડાના ઉપયોગ વગર તેને હોટેલમાં બનાવવી અશક્ય છે. માત્ર નોનવેજ હોટેલમાં જ નહી પરંતુ દરેક પ્રકારની હોટેલ અને રેસ્ટોરન્ટમાં આ જ રીતે બનાવવામાં આવે છે. (મારા જેવા સંપુર્ણ શાકાહારી જીવને આ જાણીને મોટો ઝાટકો લાગ્યો છે બોલો…આજથી જ એ બધુ બંધ.)
  • શાકાહારીઓ માટે હોટેલમાં જમવાની આ દુવિધાના વિકલ્પરૂપે બટર રોટી એક સલામત પસંદ ગણી શકાય એમ છે. (જેઓને ઇંડા પ્રત્યે અણગમો ન હોય તેવા શાકાહારીઓને આ વિકલ્પની જરૂર નહી પડે.)
  • આ અંગેની મુળ પોસ્ટ માટે નીચેની લિંક જુઓ –
    https://www.facebook.com/dinesh.gogari/posts/333915700027989

– ફાઇનલી, હવે અંતિમ દિવસો ગણાઇ રહ્યા છે, થોડા જ દિવસોમાં એ પળ આવી જશે જેનો લાંબા સમયથી ઇંતઝાર છે. (આ બાબતે મને ચોખવટ કરવાની જરૂર નથી લાગતી.)

– આજે ‘કોકટેલ’ મુવી જોવાનો પ્લાન છે.

. . .

11 thoughts on “July’12 : અપડેટ્સ – 2

  1. તમે એક સરકારના સમયમાં કામકાજને કાયદે ચઢાવશો તો બીજી સરકાર આવશે તો એને ગેરકાયદે જાહેર નહીં કરે એની શી ખાતરી છે? 2G કેસમાં ખબર છે ને કંપનીઓના અબજો ધોવાઇ ગયા 🙂

    તમારી ઇંતેજારીનો જલ્દીથી સુખદ અંત આવે એ માટે શુભકામનાઓ…

    1. ગીતાનો પેલો સિધ્ધાંત છે કે ‘કર્મ કર, ફળની આશા ન રાખ’ એ સરકારી કામ કરાવતી વખતે ખાસ યાદ રાખવો જરૂરી હોય છે, આમ પણ “રાજા, વાજા ને વાંદરા” આ ત્રણેયનો કોઇ ભરોસો ના કહેવાય છતાંયે આપણે શક્ય એટલો પ્રયત્ન કરવો જોઇએ. આગળ જેવી સરકારની મરજી. 🙂

      શુભકામનાઓ માટે આભાર.

  2. રેસ્ટોરંટમાં ઈંડાવાળીજ નાન કે રૂમાલી રોટી મળે એતો આજેજ જાણ્યું….!!! તમે એક સરસ અને સમયસરના સમાચાર આપ્યા છે, આભાર….. હવેથી નાન વગેરે બંધ……

બોલો, શું કહેવું છે તમારે...