CAA, તોફાન અને અમદાવાદ

~ ભારે ચર્ચા બાદ સંસદના બંને ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પાસ કરવામાં આવ્યું અને નાગરિકતા સંશોધન એક્ટ (CAA) તરીકે કાયદો અમલમાં આવ્યો.

~ લાગતું ન’તું કે તેનો આટલો મોટો વિરોધ થશે. મારી સમજ મુજબ તેનો વિરોધ કરવા માટે કોઇ જ વ્યક્તિ કે વિપક્ષ પાસે ચોક્કસ કારણો ન હોઇ શકે. જે કારણો ચર્ચા દરમ્યાન આપવામાં આવ્યા તેની ચોખવટ પણ ત્યારે થઈ ચૂકી હતી. પરંતુ સરકારના પક્ષે ખોટું એ થયું કે તેઓએ આંદોલનને ગણકાર્યું નહી અને લોકો સાથે સંવાદ ન સાધ્યો. નેતાઓ મિથ્યાભિમાનમાં રહ્યા. પુરતી માહિતી ન આપી જેથી લોકો અફવાઓ અને દુષ્પ્રચારમાં ફસાઇ ગયા.

~ ગઇ કાલે અમદાવાદમાં પણ તેના વિરોધની આગ પહોંચી. તેમના વિરોધનો ભોગ પોલીસવાળા વધુ બન્યા. ધર્મવિશેષ, શાંતિપ્રિય સમુદાય કે લઘુમતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોલીટીકલ કરેકટનેસ બતાવવાની જરુર મને નથી લાગતી એટલે ચોખ્ખું કહીશ કે મુસ્લીમ ધર્મના લોકોએ જ તેમાં ભાગ લીધો હતો અને મંજૂરી વગર કાઢેલ રેલીને છેવટે તોફાનમાં ફેરવી નાખી.

~ અગાઉથી પ્લાનીંગ કરીને કરવામાં આવેલ હોવાથી કોઇરીતે તેને અચાનક બગડેલી સ્થિતિ તરીકે જોઇ ન શકાય. જે પુર્વનિયોજીત હોય તેને કાવતરું જ કહેવાય અને આ હિંસક બનેલ આંદોલન એક કાવતરું જ છે મારા શહેરની શાંતિ ખરાબ કરવાનું.

~ દેશનું દુર્ભાગ્ય કહો કે પોલીટીકલ એજન્ડા કહો, જે કહો તે; પણ આટલા બધા લોકોને સામુહિક રીતે મુર્ખ પણ બનાવી શકાય તે ઘણી નવાઇની વાત લાગી. સવાલ પણ થયો કે મુસલમાનોમાં એવા કોઇ બે શાણા માણસો પણ નહી હોય કે જેઓ એક કાયદાના બે વાક્યોનું સાચુ અર્થઘટન પણ ન કરી શકે?? અને સાચી વાત પોતાના લોકો સુધી પહોંચાડી પણ ન શકે?

~ દિવા જેવું સ્પષ્ટ છે કે નાગરિક્તા સંસોધન કાયદામાં કોઇની નાગરિક્તા જતી નથી અને માત્ર દેશ બહારના લોકોને નાગરિક્તા આપવાની વાત છે તો પણ ‘મારી નાગરિક્તા છીનવાઇ જશે’ -ના ડરથી ઉશ્કેરાઇ જનાર લોકોને ખરેખર મુર્ખ કહી શકાય. અને તેમને ઉશ્કેરનાર લોકોને દેશના ગુનેગાર કહી શકાય.

~ જે લોકો ચિંતા છે કે પડોશી દેશોની લઘુમતીના બધા જ લોકોને અહી નાગરિકતા આપવામાં આવશે અને દેશ પર તેનો ભાર વધશે તો તેઓએ જાણી લેવું જોઇએ કે CAA મુજબ 31 ડિસેમ્બર 2014 ના દિવસને ડેડલાઇન તરીકે સ્વીકારવામાં આવેલો છે. ત્યાં સુધી ભારતની શરણમાં આવી ગયેલ લોકો માટે જ આ કાયદો છે. તેઓ ઓલરેડી ભારતમાં આપણાં વચ્ચે છે. વર્ષોથી, દસકાઓથી..

~ માત્ર એક વ્યક્તિ કે પાર્ટીના વિરોધમાં કે પોતાની નાસમજમાં દેશ સળગાવનાર દરેક લોકો આ દેશના પણ ગુનેગાર છે. કોઇ મજબુત મુદ્દો શોધીને સરકારને વધુ જવાબદાર બનાવવાના બદલે તોફાનીઓને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાની આ વૃતિ તેઓમાં રહેલી કાયરતા બતાવે છે.

~ મેં આ વિશે કંઇ ન લખ્યું હોત જો આ મુદ્દો અહી સુધી ન પહોંચ્યો હોત. બને ત્યાં સુધી સંયમિત રહેવાનું નક્કી કર્યું છે પણ આજે સૌથી વધારે તો એ ખટક્યું કે આ આગ મારા અમદાવાદને સળગાવે છે; અને તે મને કોઇ રીતે મંજુર નથી. હવે હું ચુપ ન રહી શકું, પાટીદાર આંદોલન વખતે પણ આ મંજુર ન’તું, પદમાવત વખતે પણ સ્વીકાર્ય ન’તું અને આજે પણ નથી. ક્યારેય નહી હોય.

~ હજુ પણ તે લોકોમાં અંદર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જણાય છે. જો આવું જ રહેશે તો મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સીધા ભાગલા થઈ જશે. અત્યારે બધું મુસલમાનો કરી રહ્યા છે અને કોંગ્રેસીઓ કે જેમને પોલીટીકલ સ્કોર વધારવો છે તેઓ તેમનો ઉપયોગ રાજકીય લાભ માટે કરી રહ્યા છે. મુસલમાનો પોતાનું ભવિષ્ય જોઈને, વિચારી-સમજીને શાંતિ જાળવે તો સારું અને હિંદુવાદીઓ પણ તેમનો સંયમ જાળવી શકે તો સારું.

~ ઉંડાણથી વિચારતા અને રેલીમાં જોડાયેલા લોકોના ભાવ જોઇને મને દેખાવકારોમાં અન્ય કોઇ હેતુ હોવાની ગંધ આવી રહી છે. CAA-NRC નો વિરોધ માત્ર બહાનું છે, મુળ ઉદ્દેશ્ય કંઇક અલગ જ છે. પોલીસ અને વ્યવસ્થાતંત્ર આગમચેતી રાખીને ચેતી જાય તો સારું. ફરીવાર 2002 નો સમય નથી જોવો હવે.

~ ગોધરાકાંડ પછી આ શહેરની હાલત મેં નજરે જોઇ છે. સમયકાળની એ ભયાનકતા અનુભવી છે. એટલે આ શહેરને બાનમાં લેનાર દરેક કૃત્યનો હું સૌથી મોટો વિરોધી રહીશ. તોફાનીઓની માંગણી યોગ્ય હોય કે ન હોય, પણ જે આ શહેરને આગ લગાડશે તે દરેક હાથને કાપી નાખવાની હું તરફેણ કરીશ.